top of page

!!રામ!!




આજ ની વાત શરૂ કરતા પહેલાં દરેક ને "જય શ્રી રામ " વષોઁની આતુરતા નો અંત એટલે આજ નો પાવન દિવસ 5 ઑગસ્ટ 2020 ઈતિહાસ માં સુવઁણ અક્ષર થી લખાશે આજ નો પાવન દિવસ . "રામ " માત્ર એક શબ્દ નથી રામ નામ માં દુનિયા સમાયેલી છે રામ નામ પાવનકારી હિતકારી છે દરેક હીંદુ ના મુખ મા રહેતુ અવીરત નામરામ ને આપણા માંથી કેટલા લોકો જાણીયે છીએ . રામ એટલે મયાઁદા પૂરષોતમ્ , આદર્શ પૂત્ર ,આદર્શ રાજા, આદર્શ ભાઇ, આદર્શ મિત્ર, એક પત્નીવ્રતા પતિ શુ નથી રામ!

એક એવા રાજા જેણે પોતાની પ્રજા ના મન માં આવેલા અવિશ્વાસ ને કારણે પોતાની પત્ની નો ત્યાગ કર્યો એ પત્ની જેણે પોતાના પતિ ની પરછાંઇ બની ને ચૌદ વર્ષ વન માં વિતાવ્યા. આ ત્યાગ કોના માટે માત્ર ધોબી ના કહેવાથી ના! ધોબી તો માત્ર એક સૂચક હતો . પરંતુ પ્રજા ના મન માં આવેલા અવિશ્વાસ ને રામ જાણી ગયા હતા. રામ ના આ ત્યાગ પછી પણ આપણે એમને criticise તો કયાઁ જ કે પોતે મહેલ માં રહીને સીતાને વન માં મોકલ્યા તો આદર્શ પતિ કઇ રીતે?

પરંતુ રામ ના મન માં ચાલી રહેલા મનોમંથન નો વિચાર કયોઁ? મહેલ માં રહીને કયારેય મહેલ ના સુખો નો ઉપભોગ ના કયોઁ .કંદમુળ ખાઇ ને ભોંયપથારી સુઇ ને પતિધમઁ પણ નિભાવ્યો . માત્ર ને માત્ર આદર્શ રાજા ની ભૂમિકા નિભાવવા માટે. આજ ની વતઁમાન સ્થિતિમાં જો દરેક નેતા રામ ના આદર્શ નુ પાલન કરી પ્રજા ના હીતને ધ્યાન માં રાખી પરિવારવાદ માથી મુકત થાય તો મારા મતે ભારત દેશ મા રામ રાજ્ય ની સ્થાપના થતા વાર નહીં લાગે.

અંત મા આજ ના પાવન દિવસે તમામ રામ ભકતો ને મારા ॥જય શ્રી રામ ॥


DINA

Comments


©2020 by micup.in

bottom of page